કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મહેબૂબા મુફ્તીનાં જમ્મુ-કાશ્મીરના ઝંડાને લઈ કરેલાં નિવેદનની કરી ટીકા
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 હટ્યા બાદ શુ પરિવર્તન આવ્યું તે અંગેની માહિતી આપવાને લઈ ને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, P.D.P, N.C.P, અને કોંગ્રેસ સહિતનાં 10 પક્ષો નું ગુપકર ગઠબંધન પ્રદેશમાં કલમ 370ને ફરી લાગુ કરવા માંગે છે. રવિશંકર પ્રસાદે ફારૂક અબ્દુલ્લાના કલમ-370 ને ફરી લાગુ કરવા માટે ચીનની મદદ લેવી પડશે તો પણ લઈશું. તે નિવેદનની પણ ટીકા કરી હતી. આ ઉપરાંત રવિશંકર પ્રસાદે મહેબૂબા મુફ્તીનાં જમ્મુ-કાશ્મીરના ઝંડાને લઈને કરેલાં નિવેદનની ટીકા કરી હતી.
