કેન્દ્ર સરકારે MSMEના વર્ગીકરણ માટે માપદંડોમાં કર્યા સુધારા, 1 એપ્રિલથી થશે અમલ
Live TV
-
કેન્દ્ર સરકારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વર્ગીકરણમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. વિવિધ વ્યવસાય અને રોકાણના ધોરણોમાં કરવામાં આવેલા ફેરફારો 1 એપ્રિલથી અમલમાં આવશે. સરકારે આ સંદર્ભમાં એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે.
નાણામંત્રીએ ટર્નઓવર મર્યાદા નક્કી કરી
આ ફેરફારો પછી, 2.5 કરોડ રૂપિયા સુધીના રોકાણવાળા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને હવે સૂક્ષ્મ ઉદ્યોગો તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. અગાઉ આ માટે રોકાણ મર્યાદા 1 કરોડ રૂપિયા હતી. તેવી જ રીતે, ટર્નઓવર મર્યાદા પણ 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે.આ સુધારો જ્યારે અમલમાં આવશે ત્યારે 25 કરોડ રૂપિયા સુધીના રોકાણવાળા એકમોને નાના ઉદ્યોગ શ્રેણીમાં મૂકવામાં આવશે. અગાઉ આ માટે રોકાણ મર્યાદા 10 કરોડ રૂપિયા હતી. આ સાહસો માટે ટર્નઓવર મર્યાદા ૫૦ કરોડ રૂપિયાથી બમણી એટલે કે 100 કરોડ કરાઈ.125 કરોડ સુધીના રોકાણવાળા સૂક્ષ્મ, નાના અને મધ્યમ એકમોને હવે મધ્યમ ઉદ્યોગો તરીકે ગણવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બજેટ ભાષણ દરમિયાન, નાણામંત્રી નિર્મલા સીતારમણે આ સાહસો માટે રોકાણ અને ટર્નઓવર મર્યાદામાં અઢી ગણો વધારો કરીને અને તેમને બમણી કરીને નવા વર્ગીકરણ ધોરણોની જાહેરાત કરી હતી.
