ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ સાથે ગૃહમંત્રીએ મોડી સાંજે કરી બેઠક
Live TV
-
નવા કૃષિ કાયદાને લઇને ખેડુતોનુ સમાધાન કરવા કેન્દ્ર સરકાર સતત પ્રયાસ કરી રહી છે. તેઓના પ્રયત્ન છતાં કિસાન સંગઠન તેમને સમજવામાં નિષ્ફળ રહ્યું છે. હવે આંદોલનની આગળની નીતિ ઉપર ખેડૂત સંગઠન આજે બેઠક કરશે.
ગઇકાલે સાંજે ગૃહમંત્રી અમિત શાહે કિસાન નેતાઓ સાથે બેઠક કરી હતી અને તેમની ચિંતાઓને લઇને વિચાર વિમર્શ કર્યો હતો. મોડી રાત્રે ચાલેલી બેઠકમાં મુદાને લઇને કોઇ સંમતી બની ન હતી.
આ બેઠકમાં કિસાનોએ ત્રણેય કાયદા રદ કરાવવા ની માંગ કરી હતી પરંતુ સરકારે સુધારો લાવવાની વાત કહી હતી. હવે સરકાર લેખીતમાં પોતાનો પ્રસ્તાવ કિસાનોને આપશે. જે ઉપર કિસાન સંગઠન ચર્ચા કરશે. કિસાનોએ આજે થનાર ચર્ચામાં સામેલ ન થવા ની વાત રાખી હતી.
