ગાઝિયાબાદ: સ્મશાનઘાટની છત ધરાશાયી થતા 17 લોકોના મોત
Live TV
-
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં આજે એક દુઃખદ ઘટના બની છે. ગાઝિયાબાદમાં સ્મશાનઘાટમાં એક છત ધરાશાયી થતા 17 લોકોના મોત નીપજ્યા છે. છત નીચે દટાયેલા 38 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તમામ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા. આ સાથે જ મુખ્યમંત્રીએ મૃતકના પરિવારજનોને જરૂરી સહાય આપવાની ખાતરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મૃતકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું, તેમજ ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.
