ચંદ્રયાન-1 મિશનના ડાયરેક્ટર શ્રીનિવાસ હેગડેનું થયું નિધન
Live TV
-
ભારતના પ્રથમ ચંદ્ર મિશન ચંદ્રયાન-1ના મિશન ડિરેક્ટર શ્રીનિવાસ હેગડેનું ગયા શુક્રવારે બેંગલુરુમાં અવસાન થયું હતું. તેમની કિડની સંબંધિત બિમારી હતી જેની સારવાર ચાલી રહી હતી.
ચંદ્રયાન-1ના મિશન ડિરેક્ટર શ્રીનિવાસ હેગડેના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. તેમણે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) સાથે 3 દાયકાથી વધુ કામ કર્યું છે. 1978થી 2014 તેમને કામ કર્યું.
ચંદ્રયાન-1એ ચંદ્ર પર પાણીના અણુઓની શોધ કરી
આ સમય દરમિયાન શ્રીનિવાસ હેગડે અવકાશ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા ઘણા ઐતિહાસિક મિશન સાથે સંકળાયેલા હતા.આ મિશન્સમાંથી એક છે 2008માં ચંદ્રયાન-1નું લોન્ચિંગ. આ ભારતનું પ્રથમ ચંદ્ર મિશન હતું, જેણે ચંદ્ર પર પાણીના અણુઓની અભૂતપૂર્વ શોધ કરી હતી. શ્રીનિવાસ હેગડે નિવૃત્તિ પછી બેંગલુરુ સ્થિત સ્ટાર્ટ-અપ ટીમ ઈન્ડસમાં જોડાયા હતા.
