Skip to main content
Settings Settings for Dark

છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોએ 27 નક્સલીઓને ઠાર માર્યા, પીએમ મોદીએ કરી પ્રશંસા

Live TV

X
  • છત્તીસગઢના નારાયણપુરમાં માઓવાદીઓ સામે સુરક્ષા દળોની મોટી સફળતાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે. તેમણે તેને માઓવાદ સામેની ઐતિહાસિક સિદ્ધિ ગણાવી અને પુનરોચ્ચાર કર્યો કે સરકાર દેશમાંથી માઓવાદી આતંકને જડમૂળથી ઉખેડી નાખવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ @narendramodi પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું, "આ નોંધપાત્ર સફળતા માટે આપણા દળો પર ગર્વ છે. આપણી સરકાર માઓવાદના ખતરાનો નાશ કરવા અને આપણા લોકો માટે શાંતિ અને પ્રગતિનું જીવન સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે."

    દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહે X પર માહિતી આપી હતી કે આજે બુધવારે, સુરક્ષા દળોએ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં એક મોટા ઓપરેશનમાં 27 કુખ્યાત માઓવાદીઓને ઠાર માર્યા છે. આમાં ભારતમાં માઓવાદી ચળવળના ટોચના નેતા અને સીપીઆઈ (માઓવાદી) ના મહાસચિવ, નંબલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુનો સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ દાયકામાં આ પહેલી વાર છે જ્યારે આટલા ઉચ્ચ સ્તરના માઓવાદી નેતાની હત્યા કરવામાં આવી છે.આ ઉપરાંત, ગૃહમંત્રીએ માહિતી આપી કે “ઓપરેશન બ્લેક ફોરેસ્ટ” પૂર્ણ થયા પછી, છત્તીસગઢ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં કુલ 54 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે અને 84 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. સરકારે ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
apply