છેલ્લા નવ વર્ષમાં 12 કરોડ શૌચાલય બનાવાયાઃ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી
Live TV
-
શાસ્ત્રી ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં સ્વચ્છતા પખવાડા અભિયાનના આંકડા કર્યા જાહેર
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ 1 જુલાઈએ કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં 12 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા છે. તેમણે શાસ્ત્રી ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં સ્વચ્છતા પખવાડા-2024 નું ઉદ્ઘાટન કરતી વખતે આ વાત કહી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલિયમ મંત્રાલયના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા.
છેલ્લા 9 વર્ષમાં 12 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા
સ્વચ્છતા પખવાડા-2024 લોન્ચ કર્યા પછી તેમના સંબોધનમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા પખવાડા પહેલના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાનને દેશમાં સૌથી મૂળભૂત રીતે પરિવર્તન એવું અભિયાન ગણાવતા તેમણે કહ્યું કે આ અભિયાનથી આપણી વિચારવાની રીતમાં મોટો બદલાવ આવ્યો છે.
તો કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ગયા વર્ષે 1 જુલાઈથી 15 જુલાઈ, 2023 વચ્ચે 'સ્વચ્છતા પખવાડા' હેઠળ અનેક સિદ્ધિઓ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા 9 વર્ષમાં 12 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા, જેણે આપણને ખુલ્લામાં શૌચ કરવાની સમસ્યામાંથી મુક્તિ અપાવી છે. તે ઉપરાંત 95 ટકા વોર્ડમાં ઘરે-ઘરે જઈને 100 ટકા કચરો એકત્ર કરવાની ખાતરી આપવામાં આવી હતી.
સ્વચ્છતા પ્રથાઓને કારણે પરિવારોએ 50,000 રૂપિયા સુધીની બચત કરી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ મિશનની શરૂઆતમાં શહેરી વિસ્તારોમાં અમારું ઘન કચરાનું સંચાલન નગણના પાત્ર હતું, પરંતુ હવે આ આંકડો 77 ટકા સુધી પહોંચી ગયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુનાઈટેડ નેશન્સ અનુસાર, સારા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રથાઓને કારણે પરિવારોએ 50,000 રૂપિયા સુધીની બચત કરી છે. આ કાર્યક્રમમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપી અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સચિવ પંકજ જૈન પણ હાજર હતા.
