જનરલ ધીરજ સેઠને નેપાળ આર્મીના માનદ જનરલ પદથી સન્માનિત કરવામાં આવ્યા
Live TV
-
જનરલ ધીરજ સેઠને નેપાળ આર્મીના માનદ જનરલ પદથી સન્માનિત કરવામાં આવ્યા
ભારતીય આર્મી ચીફ જનરલ ધીરજ સેઠને નેપાળ આર્મીના સર્વોચ્ચ માનદ જનરલ પદથી નવાજવામાં આવ્યા છે. કાઠમંડુ સ્થિત રાષ્ટ્રપતિ ભવન 'શીતલ નિવાસ' ખાતે યોજાયેલા એક વિશેષ સમારોહમાં નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે તેમને આ સન્માન પ્રદાન કર્યું હતું.
મુલાકાત અને પરંપરાની વિશેષતાઓ:
નેપાળી આર્મી ચીફ જનરલ અશોક રાજ સિગદેલના સત્તાવાર નિમંત્રણ પર જનરલ ધીરજ સેઠ રવિવારે નેપાળના પ્રવાસે ગયા હતા. ભારત અને નેપાળ વચ્ચે એકબીજાના સૈન્ય પ્રમુખોને માનદ જનરલ પદથી સન્માનિત કરવાની આ અનન્ય પરંપરા વર્ચ 1950 થી ચાલી રહી છે, જે બંને દેશો વચ્ચેના મજબૂત અને ગાઢ સૈન્ય સંબંધોનું પ્રતીક છે.આ સન્માન સમારોહ દ્વારા બંને દેશો વચ્ચેના પરસ્પર વિશ્વાસ, સહયોગ અને મિત્રતાના સંબંધો વધુ દ્રઢ બન્યા છે.
