જમ્મુ-કશ્મીર: પુલવામામાં ચાર આતંકી ઠાર
Live TV
-
જમ્મુ-કશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોએ 4 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જયારે ગોળીબાર દરમિયાન સૈન્યના બે જવાનો પણ શહીદ થયા હતા. અવન્તિપૂરા માં શહિદ જવાનને શ્રદ્ધાંજલી આપવામાં આવી.
જમ્મુ-કશ્મીરના પુલવામામાં સલામતી દળોએ 4 આતંકવાદીઓને મારી ઠાર કર્યા હતા. આ ગોળીબારી દરમિયાન સૈન્યના બે જવાન પણ શહીદ થઈ ગયા હતા. જમ્મુ-કશ્મીર સહિત સમગ્ર દેશમાં સૈન્ય અને ભારતીય સલામતીદળો સતત આતંકવાદીઓ અને ત્રાસવાદીઓ પર હૂંફાળું છે. મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં સલામત દળોની અથડામણમાં 37 નક્સલીઓને મોતને ઘાટ ઊતારવામાં આવ્યા હતા. કેન્દ્રમાં એનડીએની સરકાર આવ્યા બાદ નક્સલીઓ અને આતંકવાદીઓ વિરુદ્ધ સતત રીતે કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. જેના લીધે દેશને તોડવા અને દેશને નબળો કરવાની બદલે તાકાતમાં વધારો થયો છે. દેશ વધુ સશક્ત અને સલામત બન્યો છે.
આંતરિક સુરક્ષાને પગલે દેશની મોદી સરકાર સતત આગવા પગલા લઇ રહી છે. આ પ્રયાસોના પરિણામે નક્સીઓથી પ્રભાવિત વિસ્તારોમાં નક્સલીઓની જ્ડબા તોડ જવાબ આપ્યો છે. ત્યારે ઉત્તર પૂર્વી રાજ્યોમાં ઉગ્રવાદીના ઘટતાજતા પ્રભાવના લીધે દેશના માહોલમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે.
