જયપુર સાહિત્ય મહોત્સવની આજથી શરૂઆત
Live TV
-
જયપુર સાહિત્ય મહોત્સવનો પ્રારંભ આજે જયપુરમાં થયો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન સત્રને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે જેએલએફ એ જયપુરનો ગર્વ છે, લોકો આ સાહિત્ય ઉત્સવ દ્વારા રાજસ્થાનની સંસ્કૃતિને જાણે, વધુમાં તેમણે કહ્યું કે આ તે પ્લેટફોર્મ છે જ્યાં લોકો કોઈ પણ સંકોચ વિના તેમના મંતવ્યો શેર કરી શકે છે.
આ કાર્યક્રમમાં ઉર્જા મંત્રી B.D. Kalla પણ હાજર રહ્યા હતા. વિવિધ ક્ષેત્રના 500 જેટલા વક્તાઓ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે, જે હાલમાં તેના 13મા વર્ષમાં છે.
