તમિલનાડુમાં આજે જાણીતા કવિ તિરુવલ્લુરનાં સન્માનમાં તિરુવલ્લુર દિવસની ઉજવણી
Live TV
-
તમિલનાડુમાં આજે જાણીતા કવિ તિરુવલ્લુરનાં સન્માનમાં તિરુવલ્લુર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જીવન, પ્રેમ, પૈસો, રાજનીતી અને અન્ય ઘણા વિષયો પર વલ્લુરનાં દોહાઓનું આજે પણ સમગ્ર વિશ્વમાં અનુસરણ કરવામાં આવી રહ્યું છે. તિરુવલ્લરનાં એક હજાર ત્રણસો ત્રીસ દોહાઓનાં અસાધારણ યોગદાનનું ઘણા ભારતીય ભાષાઓ અને આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યું છે. તેઓને દિવ્ય કવિ પણ કહેવામાં આવે છે. કારણ કે, તેમના દોહા આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપે છે. તિરુવલ્લુર દિવસ તમિલ પંચાગનાં થાઈ માસનાં બીજા દિવસે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસે રાજ્ય સરકાર દ્વારા તમિલ સાહિત્ય અને સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકોનું સન્માન કરવામાં આવે છે.
