Skip to main content
Settings Settings for Dark

દત્તાત્રેય હોસાબલે ફરી એકવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ તરીકે ચૂંટાયા

Live TV

X
  • દત્તાત્રેય હોસાબલે ફરી એકવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ તરીકે ચૂંટાયા છે. તેમની પસંદગી સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા દ્વારા કરવામાં આવી હતી. શ્રી હોસાબલેનો કાર્યકાળ વર્ષ 2027 સુધીનો રહેશે. અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો આ ત્રણ દિવસીય વાર્ષિક કાર્યક્રમ શુક્રવારથી નાગપુરના રેશમબાગ વિસ્તારમાં સ્મૃતિ ભવન સંકુલમાં શરૂ થયો હતો. આ બેઠકમાં સંઘ સાથે સંકળાયેલા સંગઠનોના દોઢ હજારથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

    દત્તાત્રેય હોસાબલે મૂળ કર્ણાટકના શિવમોગાના છે. તેઓ 1973માં આરએસએસના સંપર્કમાં આવ્યા હતા. તેણે બેંગ્લોર યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમએનો અભ્યાસ કર્યો છે.

    દત્તાત્રેય હોસાબલે એબીવીપી કર્ણાટકના રાજ્ય સંગઠન મંત્રી હતા. આ પછી તેઓ એબીવીપીના રાષ્ટ્રીય મંત્રી અને સહ સંગઠન મંત્રી પણ બન્યા. લગભગ 2 દાયકા સુધી એબીવીપીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી રહ્યા પછી, તેમને 2002-03માં સંઘના અખિલ ભારતીય સહ-બૌદ્ધિક વડા બનાવવામાં આવ્યા. 2009 થી, તેઓ સંઘમાં સહ-સરકાર્યવાહના પદ પર નિયુક્ત થયા હતા. ત્યારબાદ 2021માં તેમને RSSના નવા સરકાર્યવાહ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમણે આ પદ પર ભૈયાજી જોશીની જગ્યા લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply