દિલ્હી કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને ત્રણ દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલ્યા
Live TV
-
દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને ત્રણ દિવસના CBI રિમાન્ડ પર મોકલ્યા છે. આ સમયગાળા દરમિયાન સીબીઆઈએ ઘણી દલીલો આપી હતી જેમાં કેજરીવાલ પર દિલ્હી એક્સાઈઝ પોલિસીની અનિયમિતતામાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. CBI તરફથી હાજર રહેલા એડવોકેટ ડીપી સિંહે દલીલ કરી હતી કે CBI તપાસ માટે કેજરીવાલની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.
કેજરીવાલે સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું હતું કે મીડિયામાં CBI ના સૂત્રોને ટાંકીને બતાવવામાં આવી રહ્યું છે કે મેં એક નિવેદનમાં ,, સમગ્ર દોષ મનીષ સિસોદિયા પર નાખ્યો છે.. જયારે મેં એવું કોઈ નિવેદન આપ્યું નથી.
કોર્ટે અરવિંદ કેજરીવાલને ત્રણ દિવસના CBI રિમાન્ડ પર મોકલી દીધા છે. તે જ સમયે, કેજરીવાલે જામીન પર પ્રતિબંધ મૂકવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાંથી પાછી ખેંચી લીધી છે. હવે પક્ષ નવેસરથી અરજી દાખલ કરશે.
ઇડીના મની લોન્ડરિંગ કેસમાં મંગળવારે અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઇકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. આ દરમિયાન નીચલી કોર્ટે આપેલા જામીનના નિર્ણય પર રોક લગાવી દેવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનને ગેરવાજબી ગણાવ્યા હતા.
