દેશમાં કોવિડ-19ના સક્રીય કેસની સંખ્યા 25,148 સુધી પહોંચી
Live TV
-
9064 દર્દી પુરી રીતે સાજા થઇ ચુક્યા છે. કોરોના વાયરસ એક હજાર 152ના મૃત્યુ નોંધાયા છે
દેશમાં કોવિડ-19ના સક્રીય કેસની સંખ્યા 25 હજાર 148 સુધી પહોંચી ચુકી છે. 9064 દર્દી પુરી રીતે સાજા થઇ ચુક્યા છે. કોરોના વાયરસ એક હજાર 152ના મૃત્યુ નોંધાયા છે. સરકાર પ્રયાસ કરી રહી છે કે લોકડાઉનની મદદથી કોરોનાને નિયંત્રણમાં રાખવામાં આવે. લોકો ઘરમાં જ રહીને લોકડાઉન નિયમોનું પાલન કરે તેવી અપીલો થઇ રહી છે. દેશમાં કોરોના રીકવરી રેટ વધીને 25.37 ટકા થયો છે. દેશમાં જ તૈયાર થયેલા વેન્ટિલેટર્સનો ઉપયોગ થવા લાગ્યો છે. દેશમાં વર્તમાનમાં 19 હજાર વેન્ટિલેટર્સ ઉપલબ્ધ છે. સરકાર સોશિયલ ડિસ્ટસિંગ ઉપર ભાર મુકી રહી છે. લગ્ન સમારંભમાં 50થી વધુ નહી અને અંતિમ સંસ્કારમાં 20 લોકો ભેગા ના થઇ શકે તેવા નિયમ બન્યા છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે ગરીબોની મુશ્કેલી દુર કરવા સરકાર પ્રયાસ કરી રહી છે.
