Skip to main content
Settings Settings for Dark

નેપાળમાં પરિસ્થિતિ સામાન્ય થતા ફ્લાઇટ્સ ફરી શરૂ, ફસાયેલા યાત્રીઓને રાહત

Live TV

X
  • નેપાળમાં પરિસ્થિતિ સામાન્ય થતા ફ્લાઇટ્સ ફરી શરૂ, ફસાયેલા યાત્રીઓને રાહત

    નેપાળ નાગરિક ઉડ્ડયન સત્તામંડળે (Civil Aviation Authority of Nepal) નેપાળ એરલાઇન્સની કેટલીક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે, જેનાથી નેપાળમાં ફસાયેલા યાત્રીઓને મોટી રાહત મળી છે. હિંસક પ્રદર્શનોને કારણે ફ્લાઇટ સેવાઓ ખોરવાઈ ગઈ હતી, પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે.

    ભારત તરફથી પણ યાત્રીઓને મદદ પૂરી પાડવામાં આવી રહી છે. એર ઇન્ડિયાએ કાઠમંડુ માટે વધારાની ફ્લાઇટનું આયોજન કર્યું છે, સાથે સાથે નિયમિત ફ્લાઇટ્સ પણ ચાલુ રાખી છે. એર ઇન્ડિયાએ યાત્રીઓને એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઇટનું સ્ટેટસ અવશ્ય ચેક કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત, ઇન્ડિગોએ પણ આજથી પોતાની સેવાઓ ફરી શરૂ કરી છે.

    વહીવટી અને સુરક્ષાની સ્થિતિ

    ઉલ્લેખનીય છે કે, નેપાળમાં થયેલા હિંસક ઝેન ઝી પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે અને 1600થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. કેટલાક લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે 719 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

    હાલમાં નેપાળની કમાન નેપાળી સૈન્યના હાથમાં છે અને દેશમાં વચગાળાની સરકાર રચવા માટેની કવાયત ચાલી રહી છે. ઝેન-ઝી સમૂહે આ માટે ઘણા નામો પર વિચાર વિમર્શ કર્યો છે. દેશમાં રાજકીય સ્થિરતા લાવવા માટેના પ્રયાસો ચાલુ છે, જેના ભાગરૂપે આ ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply