Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદીની પ્રથમ કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવાશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ લીધાના એક દિવસ બાદ સોમવારે પહેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લીધો. કેબિનેટે તેના પ્રથમ નિર્ણયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનો બનાવવાની યોજનાને મંજૂરી આપી છે.

    સોમવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે લાયક પરિવારોની સંખ્યામાં વધારો થવાથી ઊભી થતી આવાસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 3 કરોડ વધારાના ગ્રામીણ અને શહેરી પરિવારોને મકાનોના નિર્માણ માટે સહાય પૂરી પાડવામાં આવશે. PMAY હેઠળ બાંધવામાં આવેલા તમામ ઘરોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની અન્ય યોજનાઓ સાથે સંયોજનમાં ઘરેલું શૌચાલય, LPG કનેક્શન, વીજળી કનેક્શન, સક્રિય ઘરેલું નળ કનેક્શન વગેરે જેવી અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. નોંધનીય છે કે ભારત સરકાર વર્ષ 2015-16થી પ્રધાનમંત્રી આવાસ યોજના લાગુ કરી રહી છે, જેનો ઉદ્દેશ્ય લાયક ગ્રામીણ અને શહેરી પરિવારોને પાયાની સુવિધાઓ સાથેના મકાનો બનાવવામાં સહાય પૂરી પાડવાનો છે.  PMAY હેઠળની આવાસ યોજનાઓ હેઠળ છેલ્લા 10 વર્ષમાં લાયક ગરીબ પરિવારો માટે કુલ 4.21 કરોડ મકાનો પૂર્ણ કરવામાં આવ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply