પ્રધાનમંત્રીની સભામાં ભાગ લેવા માટે લોકોને અક્ષત આપીને આમંત્રણ આપવામાં આવશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 એપ્રિલે બિહારના ફારબીસગંજ ના એરફિલ્ડ મેદાન પર ચૂંટણી રેલીને સંબોધિત કરશે, જેમાં ભાગ લેવા માટે ભાજપના કાર્યકરો ઘરે-ઘરે જઈને સામાન્ય લોકોને અક્ષત આપીને આમંત્રણ આપશે.
આ માહિતી બિહાર સરકારના મંત્રી અને ફારબીસગંજમાં આયોજિત પ્રધાનમંત્રીના કાર્યક્રમના પ્રભારી નીરજ કુમાર બબલુએ તેમના નિવાસસ્થાને કહી હતી. સંગઠન સાથે જોડાયેલા કાર્યકર્તાઓ સાથે બેઠક યોજ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા વિધાનસભ્ય વિદ્યાસાગર કેશરીએ આ માહિતી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો, 26 એપ્રિલનો કાર્યક્રમ ઐતિહાસિક હોવાનો દાવો કર્યો હતો.
માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના કાર્યક્રમની વ્યાપક તૈયારીઓ વિધાનસભા અને બ્લોક વાઇઝ ટોળી ટોળીમાં કરવામાં આવી રહી છે. 26 એપ્રિલે ફારબીસગંજમાં પ્રથમ સભા યોજાશે ત્યારપછી તેઓ ફારબીસગંજથી મુંગેરમાં એક જાહેરસભાને સંબોધશે એવો દાવો કર્યો હતો કે, પ્રધાનમંત્રીની અરરિયા મુલાકાતને કારણે સમગ્ર એનડીએ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે.
મંત્રી નીરજ કુમાર બબલુ ઉપરાંત કાર્યક્રમના સહ પ્રભારી સુદેશ યાદવ, મૃત્યુંજય ઝા, જિલ્લા પ્રમુખ આદિત્ય નારાયણ ઝા, પંચાયતી રાજ સેલના ભુવન કુમાર, પૂર્વ જિલ્લા પ્રમુખ આલોક ભગત ઉર્ફે બામશંકર ભગત, સંતોષ સુરાના, બિમલ સિંહ, રાકેશ બિસ્વાસ, રાજેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રતાપ નારાયણ મંડળના અધ્યક્ષ વીણા દેવી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.