Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે અને આવતીકાલે કર્ણાટક, તેલંગાણા અને ગુજરાતના પ્રવાસે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે અને આવતીકાલે કર્ણાટક, તેલંગાણા અને ગુજરાતની મુલાકાતે રહેશે. તેઓ હૈદરાબાદમાં આશરે 9,400 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવમાં પણ સહભાગી થશે. આ માહિતી બે સત્તાવાર નિવેદનોમાં આપવામાં આવી છે.

    પ્રધાનમંત્રી મોદી, આજે સવારે બેંગલુરુમાં 'ધ આર્ટ ઓફ લિવિંગ'ના 45મા સ્થાપના દિવસના સમારોહમાં પણ ભાગ લેશે અને સભાને સંબોધિત કરશે. તેઓ 'આર્ટ ઓફ લિવિંગ ઈન્ટરનેશનલ સેન્ટર'માં નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે. તેઓ 'આર્ટ ઓફ લિવિંગ'ના દેશવ્યાપી સેવા પ્રકલ્પોનો પણ પ્રારંભ કરાવશે. જેમાં માનસિક સ્વાસ્થ્ય, ગ્રામીણ વિકાસ, પ્રકૃતિ સંરક્ષણ અને સામાજિક પરિવર્તન પર કેન્દ્રિત વર્ષભર ચાલનારા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

    પ્રધાનમંત્રી મોદી, બેંગલુરુથી તેલંગાણાના હૈદરાબાદ જશે. અહીં તેઓ આશરે 9,400 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે. તેઓ જનસભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ હૈદરાબાદમાં 'સિંધુ હોસ્પિટલ' રાષ્ટ્રને સમર્પિત કરશે. આ કેન્સર પર કેન્દ્રિત અત્યાધુનિક, મલ્ટી-સુપર સ્પેશિયલિટી અને ક્વાટર્નરી કેર (ચતુર્થક સંભાળ) પ્રદાન કરતી બિન-લાભકારી સંસ્થા છે.

    પ્રધાનમંત્રી મોદી, હૈદરાબાદ-પણજી આર્થિક ગલિયારા (ઇકોનોમિક કોરિડોર) પર ગુડેબેલુરથી મહબૂબનગર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-167 (ચાર-લેન પ્રોજેક્ટ)નો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 3,175 કરોડ રૂપિયાથી વધુ છે. પ્રધાનમંત્રી વારંગલમાં 'પીએમ મિત્ર પાર્ક'નું ઉદ્ઘાટન કરશે. તેને 'કાકતીય મેગા ટેક્સટાઇલ પાર્ક' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને પીએમ મિત્ર યોજનાની મદદથી વિકસાવવામાં આવ્યો છે.

    સોમનાથ અમૃત મહોત્સવ

    પ્રધાનમંત્રી મોદી, 11 મેની સવારે સોમનાથ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવમાં સામેલ થશે. આ કાર્યક્રમ પુનઃનિર્મિત મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી વિશેષ મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ જેવા ધાર્મિક વિધિઓમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે. પ્રધાનમંત્રી સાંજે વડોદરા જશે. તેઓ અહીં 'સરદારધામ હોસ્ટેલ'નું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટમાં 1,000 છોકરાઓ અને 1,000 છોકરીઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સોમનાથ મંદિરમાં આયોજિત આ કાર્યક્રમ ભારતની આસ્થા અને સભ્યતાના વારસાને ઉજાગર કરશે. આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તેને દેશના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું પ્રતીક માનવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply