પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એન્જિનિયર્સને ગણાવ્યા દેશના 'કર્મયોગી'
Live TV
-
આજે દેશભરમાં 'રાષ્ટ્રીય એન્જિનિયર્સ ડે' (National Engineers' Day) મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના મહાન એન્જિનિયર અને સ્ટેટ્સમેન સર મોક્ષગુડુંડમ વિશ્વૈયા (Sir M. Visvesvaraya) ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સાથે જ દેશના વિકાસ, નવીનતા અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપનાર તમામ એન્જિનિયર્સના પ્રદાનને બિરદાવતા તેમને 'કર્મયોગી' તરીકે સંબોધ્યા છે.
આજે દેશભરમાં 'રાષ્ટ્રીય એન્જિનિયર્સ ડે' (National Engineers' Day) મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના મહાન એન્જિનિયર અને સ્ટેટ્સમેન સર મોક્ષગુડુંડમ વિશ્વૈયા (Sir M. Visvesvaraya) ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સાથે જ દેશના વિકાસ, નવીનતા અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપનાર તમામ એન્જિનિયર્સના પ્રદાનને બિરદાવતા તેમને 'કર્મયોગી' તરીકે સંબોધ્યા છે.
સર એમ. વિશ્વૈયાની જન્મજયંતિ અને ઐતિહાસિક યોગદાન
દર વર્ષે ૧૫ સપ્ટેમ્બરના રોજ દેશના મહાન સિવીલ એન્જિનિયર અને 'ફાધર ઓફ મોર્ડન મૈસૂર' તરીકે જાણીતા સર એમ. વિશ્વૈયાની જન્મજયંતિને 'એન્જિનિયર્સ ડે' તરીકે ઉજવવામાં આવે છે. ૧૮૬૧માં જન્મેલા વિશ્વૈયાએ દેશના જાહેર માળખાકીય પ્રોજેક્ટ્સ અને એન્જિનિયર્સ ક્ષેત્રે અદ્ભુત યોગદાન આપ્યું છે. તેમને ૧૯૫૫માં ભારત સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' થી નવાજવામાં આવ્યા હતા. તેમણે મૈસૂરના પ્રસિદ્ધ કૃષ્ણ રાજા સાગર ડેમનું નિર્માણ અને જટિલ પૂર રક્ષણાત્મક પ્રણાલીઓ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત સરકારે ૧૯૬૮માં તેમના સન્માનમાં ૧૫ સપ્ટેમ્બરને અધિકૃત રીતે 'રાષ્ટ્રીય એન્જિનિયર્સ ડે' તરીકે જાહેર કર્યો હતો.
પીએમ મોદીએ એન્જિનિયર્સને પાઠવ્યા અભિનંદન
સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, "તમામ અદ્ભુત એન્જિનિયર્સને એન્જિનિયર્સ ડે ની શુભકામનાઓ, જેઓ વધુ સારા ભવિષ્ય માટે નિર્માણ કરે છે, નવીનતા લાવે છે અને ઉકેલો પૂરા પાડે છે. સર એમ. વિશ્વૈયાની એન્જિનિયરિંગ પ્રતિભા અને રાષ્ટ્રનિર્માણની દ્રષ્ટિ હંમેશા પ્રેરણા આપતી રહેશે."
એક વિડિયો સંદેશમાં પીએમ મોદીએ જણાવ્યું કે એન્જિનિયર્સ માત્ર મશીનો નથી બનાવતા, પરંતુ સપનાઓને હકીકતમાં બદલનાર 'કર્મયોગી' છે. ભારત હંમેશા એવા એન્જિનિયર્સનું ઘર રહ્યું છે જેમણે અશક્યને શક્ય બનાવીને વિશ્વ સમક્ષ અદ્ભુત અચંબિત કરનારા કાર્યો રજૂ કર્યા છે.
