પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં નીતિ આયોગની બેઠક શરૂ
Live TV
-
આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર તથા ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રવિવારે 17 જૂનના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે નીતિ આયોગના ગવર્નિંગ કાઉન્સિલની ચોથી બેઠકની શરૂઆત કરી છે. દિવસભરની આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર તથા ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા છે.
નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ એક એવું મુખ્ય એકમ છે જે રાજ્યોની સક્રિય ભાગીદારીની સાથે રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓના ક્ષેત્રોમાં અને રણનીતિ તૈયાર કરવા માટે સહભાગી દ્રષ્ટિકોણ વિકસિત કરવા માટેના કાર્યો અંગે ચર્ચા કરવામાં આવશે..
ગવર્નિંગ કાઉન્સિલ અગાઉના વર્ષ દરમિયાન કરેલા કાર્યોની સમીક્ષા કરે છે અને ભવિષ્યની વિકાસ પ્રાથમિકતાઓ પર વિચારણા કરે છે.
