પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકમાં ત્રણ સ્થળો પર સભાને સંબોધિત કરશે
Live TV
-
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન પૂરજોષમા થઇ રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીઓ અને રોડ શોથી કર્ણાટકનો ચૂંટણી માહોલ ગરમાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રણ સ્થળો પર સભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીની પહેલી સભા સવારે 11 કલાકે મુદબિદ્રીમાં યોજાશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી બપોરે 1 કલાકે અંકોલામાં જનસભાને સંબોધિત કરશે અને બપોરે 3 કલાકે બેલહોંગલમાં જનસભાને સંબોધિત કરી પ્રજાનુ સમર્થન માગશે. આ અગાઉ પ્રધાન મંત્રી ચિત્રદુર્ગમાં જનસભાને સંબોધતા કરતા કહ્યુ હતુ, કે આઝાદીના અમૃતકાળ પછી કર્ણાટકમાં પ્રથમવાર ચૂંટણી યોજાઇ રહી છે. આ ચૂંટણી કર્ણાટક રાજ્યને નંબર વન રાજ્ય બનાવશે
