પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પીએમ-કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ આજે પહેલીવાર તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તેઓ દેશભરના લગભગ 9.26 કરોડ લાભાર્થી ખેડૂતો માટે 20 હજાર કરોડ રૂપિયાથી વધુની PM કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરશે.
પીએમ કિસાન યોજના હેઠળ સરકાર આજે ખેડૂતોના ખાતામાં સીધા જ 2 હજાર રૂપિયા મોકલશે. પીએમ કિસાન યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી જ્યારે પ્રધાનમંત્રી મોદીએ ત્રીજી વખત સત્તા સંભાળી ત્યારે તેમણે સૌથી પહેલા ખેડૂતોના અધિકારો સાથે જોડાયેલી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા.
તેમણે સૌથી પહેલા પીએમ કિસાન યોજનાના હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરાવા માટેની ફાઇલને મંજૂરી આપી હતી. પ્રધાનમંત્રી મોદી આજે કાશીમાં કિસાન સમ્મેલનમાં ખેડૂતોને રાશી જમા કરાવી ભેટ આપશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી કાશીમાં મોદી સ્વ-સહાય જૂથોના 30 હજારથી વધુ સભ્યોને પ્રમાણપત્રો પણ અર્પણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાંચમી વખત વિશ્વ પ્રસિદ્ધ દશાશ્વમેધ ઘાટની ગંગા આરતીમાં ભાગ લેશે. તેઓ અહીં 55 મિનિટ રોકાશે. તેઓ ગંગાની પૂજા કરશે. પ્રસિદ્ધ જ્યોતિષ પં. ચંદ્રમૌલી ઉપાધ્યાય અને નવ અર્ચક પૂજા કરાવશે.
