Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તેમના નિવાસસ્થાને T-20 વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડીઓને મળશે

Live TV

X
  • એર ઈન્ડિયાનું એક વિશેષ વિમાન બુધવારે T20 ક્રિકેટ વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ટીમને બાર્બાડોસથી ભારત લાવી રહ્યું છે. વાસ્તવમાં, હરિકેન બેરીલને પગલે એરપોર્ટ બંધ થવાને કારણે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં અટવાઈ ગઈ છે. ભારતીય ટીમને લઈ જતું વિશેષ વિમાન ગુરુવારે સવારે દિલ્હી પહોંચશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 4 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે T-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના ખેલાડીઓને મળશે. રાજ્યસભાના સભ્ય અને BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાના દેશમાં પરત ફરવા પર આ માહિતી આપી હતી. રાજીવ શુક્લાએ કહ્યું, "ભારતીય ટીમ બાર્બાડોસથી બીસીસીઆઈ દ્વારા ભાડે લેવામાં આવેલી એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટમાં રવાના થઈ ગઈ છે."

    પ્લેન સવારે 6 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરશે

    તેમણે કહ્યું, “જે ભારતીય પત્રકારો ત્યાં (બાર્બાડોસ) ફસાયેલા હતા તેઓ પણ આ જ ફ્લાઈટમાં આવી રહ્યા છે. આ ફ્લાઈટ આવતીકાલે 4 જુલાઈએ સવારે 6 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આવતીકાલે, 4 જુલાઈ, સવારે 11 વાગ્યે, વડાપ્રધાન તેમના નિવાસસ્થાને ભારતીય ટીમને મળશે." તેણે એમ પણ કહ્યું કે આ પછી ટીમ નરીમાન પોઈન્ટ મુંબઈ જશે અને અમે અહીં ખેલાડીઓનું સન્માન કરીશું.

    ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાના બાર્બાડોસમાં 29 જૂને રમાયેલી T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવીને ઈતિહાસ રચ્યો છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply