Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના પ્રવાસે, માંડ્યામાં 'શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિર'નું કર્યું લોકાર્પણ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની એક દિવસીય કર્ણાટક મુલાકાત દરમિયાન માંડ્યાના પ્રસિદ્ધ આદિચુંચનાગિરી મઠ ખાતે નવનિર્મિત શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ભવ્ય લોકાર્પણ કર્યું હતું. આ મઠ વિસ્તારના મહત્વના આધ્યાત્મિક કેન્દ્ર તરીકે જાણીતો છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની એક દિવસીય કર્ણાટક મુલાકાત દરમિયાન માંડ્યાના પ્રસિદ્ધ આદિચુંચનાગિરી મઠ ખાતે નવનિર્મિત શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ભવ્ય લોકાર્પણ કર્યું હતું. આ મઠ વિસ્તારના મહત્વના આધ્યાત્મિક કેન્દ્ર તરીકે જાણીતો છે.

    ભક્તિમય વાતાવરણ અને સંબોધન
    મંદિરના લોકાર્પણ પૂર્વે પ્રધાનમંત્રીએ બાલગંગાધરનાથ સ્વામીની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા PM મોદીએ ભાવુક થઈને જણાવ્યું કે, "શ્રી કાલ ભૈરવ મંદિરના દર્શન અને શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન એ મારા માટે એક કાયમી સંભારણું બની રહેશે. મહાન સંતોના સાનિધ્યમાં આવવું એ મારું પરમ સૌભાગ્ય છે."

    લોકહિત માટે PM મોદીની 'નવ પ્રતિજ્ઞા'

    પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં દેશવાસીઓને નવ મુખ્ય અપીલ કરી હતી:

    1. જળ સંચય: પાણી બચાવવા અને તેના યોગ્ય સંચાલન માટે કટિબદ્ધ બનો.
    2. પર્યાવરણ સુરક્ષા: 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરો.
    3. સ્વચ્છતા અભિયાન: ધાર્મિક અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા આહવાન.
    4. આત્મનિર્ભર ભારત: સ્થાનિક સ્તરે બનેલી (Made in India) ચીજવસ્તુઓનો આગ્રહ રાખો.
    5. સ્વદેશી પ્રવાસન: વિદેશ જવાને બદલે ભારતના પર્યટન સ્થળોને પ્રોત્સાહન આપો.
    6. કુદરતી ખેતી: ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા વિનંતી.
    7. સ્વસ્થ આહાર: સ્થૂળતા ઘટાડવા તેલનો વપરાશ ૧૦% ઘટાડવા અને 'મિલેટ્સ' (જાડા ધાન) ખાવા સૂચન.
    8. ફિટનેસ: યોગ અને રમતગમતને જીવનશૈલીનો ભાગ બનાવો.
    9. સેવા ભાવના: સમાજ પ્રત્યે સેવાનો સંકલ્પ લો.

    શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરની વિશેષતા

    યાદગાર સ્થાપત્ય: આ મંદિર મઠના ૭૧મા વડા બાલગંગાધરનાથ મહાસ્વામીની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે.

    ખર્ચ અને શૈલી: અંદાજે ₹૭૦ થી ₹૮૦ કરોડના ખર્ચે નિર્મિત આ મંદિર પરંપરાગત દ્રવિડ સ્થાપત્ય શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

    મહત્વ: જ્યાં મહાસ્વામીએ ધ્યાન કર્યું હતું, તે જ પવિત્ર સ્થળ પર તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply