પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોરખપુરથી ઐતિહાસિક પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજના કરશે લોન્ચ
Live TV
-
આ યોજના અંતર્ગત દેશના 12 કરોડથી પણ વધુ ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6 હજારની આવકની ગેરંટી આપવામાં આવી છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના ગોરખપુરથી ઐતિહાસિક પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજના લોન્ચ કરશે. આ યોજના અંતર્ગત દેશના 12 કરોડથી પણ વધુ ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6 હજારની આવકની ગેરંટી આપવામાં આવી છે. પ્રથમ હપ્તાના રૂપમાં 31 માર્ચ સુધીમાં ખેડૂતોના બેન્ક ખાતામાં રૂપિયા 2000 જમા થવાના છે. પ્રધાનમંત્રી ગોરખપુરથી આ યોજનાનો શુભારંભ કરશે. આજના દિવસે જ લગભગ પંચાવન લાખ ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000 નો પ્રથમ હપ્તો જમા થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોરખપુર - આઝમગઢ લીન્ક એક્સપ્રેસ વે ની સાથે ગોરખપુર - કંડલા એલપીજી પાઇપલાઇનની આધારશિલા પણ મૂકશે. પ્રધાનમંત્રી આ ઉપરાંત અનેક વિકાસ યોજનાની આધારશિલા મૂકવાના છે.
