પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9મી જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસની સાથે એક સ્મારક ટપાલ ટિકીટ બહાર પાડશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9મી જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસની સાથે સાથે એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડશે. પોસ્ટલ સ્ટેમ્પ ભારતના પ્રવાસીઓના સલામત અને કાનૂની સ્થળાંતરને સમર્પિત છે. વિદેશ મંત્રાલયે "સુરક્ષિત જાયેં પ્રશિક્ષિત જાયેં" - ગો સેફ, ગો ટ્રેઇન્ડ અભિયાન શરૂ કર્યું હતું. આ ઝુંબેશનો ધ્યેય રોજગાર માટે વિદેશ જવા માટે સલામત અને કાયદાકીય માધ્યમોનો ઉપયોગ કરવાના મહત્વ વિશે જનજાગૃતિ વધારવાનો છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે , ECR લોકોને માત્ર eMigrate પોર્ટલ દ્વારા જ વિદેશમાં રોજગાર માટે જવાની સલાહ આપવામાં આવે છે. સ્થળાંતર પ્રક્રિયાને ઓનલાઈન કરીને અને વિદેશી નોકરીદાતાઓ સહિત તમામ હિતધારકોને એક સામાન્ય પ્લેટફોર્મ પર લાવીને, સ્થળાંતર કરતાં કામદારોની સમસ્યાઓને ઉકેલવા માટે ઈ માઈગ્રેટ પોર્ટલ શરૂ કરાયું છે
આ પોર્ટલમાં બે લાખથી વધુ વિદેશી નોકરીદાતાઓ અને બે હજાર પાંચસોથી વધુ નોંધાયેલા રિક્રુટમેન્ટ એજન્ટ્સ છે. પોર્ટલમાં રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ રિક્રુટમેન્ટ એજન્સીઓની યાદી પણ છે.
