પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી PM-KISAN યોજનાનો 17મો હપ્તો 18 જૂને છૂટો કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18મી જૂને વારાણસીમાં PM-KISAN યોજનાનો 17મો હપ્તો છૂટો કરશે. 9.26 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 20,000 કરોડથી વધુની રકમનો લાભ મળશે. પ્રધાનમંત્રી પેરા એક્સટેન્શન વર્કર તરીકે કામ કરવા માટે કૃષિ સખીઓ તરીકે પ્રશિક્ષિત 30,000 થી વધુ સ્વ સહાય જૂથોને પ્રમાણપત્રોનું વિતરણ પણ કરશે. પસંદ કરેલ 50 કૃષિ વિકાસ કેન્દ્રો (KVK) પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
PM-KISAN સ્કીમ 24મી ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી, જે ઉચ્ચ આવકના દરજ્જાના અમુક બાકાત માપદંડોને આધીન તમામ જમીન ધરાવનારા ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂરક બનાવે છે. દર ચાર મહિને ત્રણ સમાન હપ્તામાં પ્રતિ વર્ષ 6,000/- રૂ. નો નાણાકીય લાભ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મોડ દ્વારા દેશભરના ખેડૂતોના પરિવારોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 11 કરોડથી વધુ ખેડૂતોને 3.04 લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે. યોજનાની શરૂઆતથી લાભાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવેલી કુલ રકમ રૂ. 3.24 લાખ કરોડને પાર કરી જશે.
