Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ શ્રીકાકુલમ ભાગદોડમાં શ્રદ્ધાળુઓના મોત પર દુઃખ વ્યક્ત કર્યું, સહાય રાશિની જાહેરાત કરી

Live TV

X
  • આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં એકાદશી ઉત્સવ દરમિયાન થયેલી ભાગદોડમાં 9 શ્રદ્ધાળુઓના કરૂણ મોત થયા છે, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર ગહન શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પીએમ મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ (PMNRF) માંથી મૃતકના પરિજનોને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય રાશિ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ સ્થિત વેંકટેશ્વર સ્વામી મંદિર ખાતે ભાગદોડ દરમિયાન 9 શ્રદ્ધાળુઓના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી. પીએમઓ એ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ મૃતકોના પરિજનોને બબ્બે લાખ રૂપિયાની સહાય રાશિ આપવાની જાહેરાત કરી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંદેશમાં કહ્યું, "આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ સ્થિત વેંકટેશ્વર સ્વામી મંદિરમાં થયેલી ભાગદોડથી હું અત્યંત દુઃખી છું. મારી સંવેદનાઓ તે લોકોની સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી દરેક મૃતકના પરિજનોને બબ્બે લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ આપવામાં આવશે. ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે."

    આ ઘટના પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, "વેંકટેશ્વર સ્વામી મંદિરમાં થયેલી ભાગદોડમાં મૃત્યુથી અત્યંત દુઃખી છું. મારી સંવેદનાઓ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓના પરિવારોની સાથે છે. ઈશ્વરને પ્રાર્થના છે કે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય."

    કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બંડી સંજય કુમારે લખ્યું, "શ્રીકાકુલમ જિલ્લાના કાશીબુગ્ગા સ્થિત વેંકટેશ્વર સ્વામી મંદિરમાં થયેલી દુઃખદ ભાગદોડથી અત્યંત દુઃખી છું, જેમાં અનેક નિર્દોષ શ્રદ્ધાળુઓના જીવ ગયા અને અન્ય ઘણા ઘાયલ થયા. પીડિત પરિવારો પ્રત્યે મારી હાર્દિક સંવેદના. ઘાયલોના શીઘ્ર સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું."

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો. તેમણે 'X' પોસ્ટમાં લખ્યું, "આંધ્ર પ્રદેશના કાશીબુગ્ગા સ્થિત શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં થયેલી દુઃખદ ભાગદોડથી મન અત્યંત દુઃખી છે, જેમાં શ્રદ્ધાળુઓના જીવ ગયા. મૃતકોના પરિવારો પ્રત્યે મારી હાર્દિક સંવેદના. હું ઘાયલોના શીઘ્ર સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. ઈશ્વર આ દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા તમામ લોકોને હિંમત અને શક્તિ પ્રદાન કરે."

    વેંકટેશ્વર સ્વામી મંદિરમાં શનિવારે એકાદશી ઉત્સવ દરમિયાન ભાગદોડ મચી, જેમાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે. માહિતી સામે આવી કે શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે અફરાતફરી મચી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply