પ્રધાનમંત્રી 51 હજારથી વધુ લોકોને નિમણૂંક પત્રો એનાયત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ સરકારી વિભાગોમાં નિમણૂંક પામેલા 51 હજારથી વધુ લોકોને આજે વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી નિમણૂંક પત્રો એનાયત કરશે. આ પ્રસંગે તેઓ નિમણૂંક પામેલા યુવાનોને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં 37 સ્થળોએ રોજગાર મેળાઓ યોજાશે. જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ વિભાગોના પદો માટે ભરતી યોજાશે.
રોજગારીની તકોના નિર્માણને ટોચની અગ્રતા આપવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે રોજગાર મેળાઓનું આયોજન થશે. નવા ભરતી પામેલા યુવાનોને કર્મયોગી પ્રારંભ પોર્ટલ દ્વારા તાલીમ મેળવવાની તક મળશે. આ પોર્ટલમાં 800 થી વધુ ઇ-અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.
