પ્રોજેક્ટ ડૉલ્ફિન 15 દિવસમાં લૉન્ચ કરાશેઃ પ્રકાશ જાવડેકર
Live TV
-
આ સાથે પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, તમામ રાજ્યોને વન સંરક્ષણ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ માટે નાણાંપંચે વન માટેની ફાળવણી 7 ટકાથી વધારીને 10 ટકા કરી છે.
કેન્દ્રીય પર્યાવરણ અને વનમંત્રી પ્રકાશ જાવડેકરે રાજ્યોના વનમંત્રી સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી વિવિધ પ્રોજેક્ટ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. પ્રકાશ જાવડેકરે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા દેશની નદીઓ અને મહાસાગરોમાં ડોલ્ફિનના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ડોલ્ફિનને 15 દિવસમાં લોન્ચ કરવામાં આવશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, આપણી નદીઓમાં 3 હજારથી વધુ ડોલ્ફિન તેમજ 12 રાજ્યોના મહાસાગરોમાં મોટાપાયે ડોલ્ફીન જોવા મળે છે. ત્યારે તેમનું સંરક્ષણ અને સંવર્ધન કરવું સૌની જવાબદારી છે. વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ આગામી 15 દિવસમાં પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર કરાશે.