Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશમાં અરાજકતાની પરિસ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ.જયશંકરે PM મોદી સાથે મુલાકાત કરી

Live TV

X
  • શેખ હસીના ભારત સરકાર પાસેથી રાજકીય આશ્રયની માંગ કરે છે તો આ અંગે વિચાર કરી શકાય છે, પરંતુ હજુ સુધી તેને લઈ માહિતી સામે આવી નથી

    બાંગ્લાદેશમાં લશ્કરી બળવા વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પદ પરથી રાજીનામું આપીને ગાઝિયાબાદના હિંડોન એરબેઝ પહોંચી ગયા છે. પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ભારતમાં આશરો લેશે નહીં, પરંતુ યુરોપ જવા રવાના થશે.

    શેખ હસીના ભારત સરકાર પાસેથી રાજકીય આશ્રયની માંગ કરે છે તો આ અંગે વિચાર કરી શકાય છે, પરંતુ આ અંગે કોઈ નક્કર માહિતી સામે આવી નથી. બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને લઈને કેન્દ્ર સરકાર સતર્ક છે. ઉત્તર-પૂર્વીય રાજ્યોને પણ આ સંદર્ભે સૂચના જારી કરીને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

    વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પડોશી દેશમાં વર્તમાન રાજકીય સંકટ અંગે ચર્ચા કરી.

    શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને બાંગ્લાદેશ છોડી દીધું છે. આ પછી સેનાએ ત્યાં વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી છે. આ પહેલા હજારો પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના નિવાસસ્થાનમાં બળજબરીથી ઘૂસીને લૂંટ ચલાવી હતી. વિરોધીઓએ પાર્ટી કાર્યાલયોને પણ આગ લગાવી દીધી હતી. આ પછી ત્યાં ભયનો માહોલ સર્જાયો હતો. હાલમાં ત્યાં સ્થિતિ સામાન્ય થવાના કોઈ સંકેત દેખાતા નથી.

    બીજી તરફ બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયાએ ઢાકાની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરવાની જાહેરાત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply