બિહારના ગયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરસભા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળના પ્રવાસ પર રહેશે. લોકસભાની ચૂંટણીને લઈને NDA નેતાઓના પક્ષમાં પ્રધાનમંત્રીનો પ્રચાર ચાલુ છે, ત્યારે સૌથી પહેલા તેમણે બિહારના ગયામાં જનસભાનું સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આપણો દેશ વિવિધતાઓથી ભરેલ છે અને તે વિવિધતાનું એકીકરણ એ આપણો સંવિધાન છે. સાથે જ તેમણે વિપક્ષ પર પ્રચાર કરતા કહ્યું હતું કે, દશકાઓથી ભારત પર રાજ કરતા કોંગ્રેસે ભારતને ગરીબીમાંથી બહાર કાઢવાનું જે કામ ન હતું કર્યું તે કામ અમે કર્યું છે.
કોંગ્રેસે ગરીબોને મકાન માટેના સપના બતાવ્યા હતા, પરંતુ 4 કરોડ ગરીબ લોકોને પાકા મકાન આપી NDA સરકારે ગરીબોનું સપનું પૂર્ણ કર્યું છે. તો ગયા બાદ પ્રધાનમંત્રી મોદી પૂર્ણિયામાં રેલીનું આયોજન કરશે. વિપક્ષી દળો વચ્ચે વહેંચવામાં આવેલ સીટના કારણે આ સીટ હંમેશા ચર્ચાનું કારણ બની છે. આ સીટ પરથી પપ્પુ યાદવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. RJD માંથી બીમા ભારતી અને NDA માંથી JDU ના સાંસદ સંતોષ કુશવાહ પૂર્ણિયા સીટ પરથી ચૂંટણી લડશે. બિહારમાં બે રેલી કાર્ય બાદ પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળ માટે રવાના થશે. અહી બપોરે તેમની રેલી બાલુરઘાટમાં થશે. ત્યારબાદ રાયગંજમાં પ્રધાનમંત્રી પ્રચાર કરશે.