ભારતીય જનતા પાર્ટીનો આજે 43મો સ્થાપના દિવસ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુલી પાર્ટીના લાખો કાર્યકરોને કરશે સંબોધિત
ભારતીય જનતા પાર્ટી આજે 43મા સ્થાપના દિવસની ઉજવણી કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યકર્તાઓને વર્ચ્યુઅલી સંબોધન કરશે. તે દરમિયાન ભાજપના તમામ સંસદના બાલયોગી ઑડિટોરિયમમાં ઉપસ્થિત રહેશે, તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને અનેક રાષ્ટ્રીય પદાધિકારીઓ ભાજપના નવા કાર્યાલયમાં ઉપસ્થિત રહેશે. નવી દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરૂણ ચૂગે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં 10 લાખથી વધુ સ્થળ પર સ્થાપના દિવસની ઉજવણી કરાશે. પાર્ટીએ આ દિવસને ધ્યાનમાં રાખી 14 એપ્રિલ સુધી એક વિશેષ સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. આ દિવસો દરમિયાન પાર્ટી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે.
