ભારતીય વેક્સીનનું ટ્રાયલ ત્રીજા તબક્કામાં, PMએ UNના મંચથી આપ્યો વિશ્વાસ
Live TV
-
ભારતની વેક્સિન પ્રોડક્શન અને વેક્સિન ડિલેવરી ક્ષમતા સંપૂર્ણ માનવતાને સંકટમાંથી બહાર કાઢવામાં આવશે કામ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 75મી બેઠકને સોશિયલ મીડિયાના માધ્યમથી સંબોધી હતી. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સદી બદલાઈ જાય પણ જો આપણે ન બદલીએ તો બદલાવ લાવવાની તાકાત પણ નબળી પડી જાય છે.
સમગ્ર વિશ્વને સંબોધતા પીએમએ કહ્યું કે, હાલ ગંભીર આત્મમંથનની જરૂર છે. આખી દુનિયા કોરોના સામે લડી રહી છે. ત્યારે ભારતમાં કોરોનાની વેકસીનનું ટ્રાયલ ત્રીજા તબક્કામાં ચાલી રહ્યું છે તેમ પીએમએ ઉમેર્યું હતું.
પીએમએ કહ્યું કે, વિશ્નને કોરોનાની વેકસીન પહોંચાડવામાં ભારત ક્ષમતા ધરાવે છે અને ભારત આત્મનિર્ભર અભિયાન હેઠળ આગળ વધી રહ્યું છે. કોરોનાકાળમાં ભારતે અનેકો દેશોને દવા ઉપલબ્ધ કરાવી છે. આ સાથે ભારત યુએનમાં પોતાની મોટી ભૂમિકા જોઈ રહ્યું છે.
