ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ, દેશભરમાં વિવિધ કાર્યક્રમ
Live TV
-
બંધારણના ઘડવૈયા અને ભારત રત્નથી સન્માનિત બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની આજે જન્મજયંતિ...દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
આજે આખા દેશમાં બંધારણના નિર્માતા અને ભારત રત્નથી સન્માનિત બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો આજે સંસદ સંકુલમાં બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ડૉ. ભીમરાવ આંબેડકર સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા અને ન્યાય મંત્રી હતા. વર્ષ 1990માં તેમને મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.તો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને યાદ કરતાં સોશિયલ મીડિયા એક્સ પર , કહ્યું, તમામ દેશવાસીઓ TR બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિ પર તેમને કોટિ કોટિ નમન ..
આંબેડકર જયંતી કેમ મનાવવામાં આવે છે
14 એપ્રિલના રોજ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ દિવસ છે. એટલા માટે આજના દિવસે આંબેડકર જયંતી અથવા ભીમ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ ફક્ત એક દિવસ નથી, પણ સમાનતા અને સામાજિક ન્યાયના વિચોરને યાદ કરવાનો દિવસ છે. આ દિવસે દેશભરમાં સરકારી અને ખાનગી સંસ્થામાં કાર્યક્રમો આયોજીત થાય છે. રેલીઓ અને જાહેર સભાઓ થાય છે. નેતા અને સામાન્ય લોકો તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરે છે. કેટલીય જગ્યાએ રાષ્ટ્રીય સમરસતા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.