'મન કી બાત'માં વિજ્ઞાન અને રમતગમતમાં સિદ્ધિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો, પ્રધાનમંત્રીએ કારગિલ નાયકોની હિંમતને નમન કર્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, તેમના 'મન કી બાત' કાર્યક્રમમાં વિજ્ઞાન, નવીનતા, રમતગમત અને રાષ્ટ્રીય સુરક્ષામાં ભારતની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો અને કારગિલ વિજય દિવસ પર બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનને નમન કર્યા.
'મન કી બાત'ના 136મા એપિસોડમાં, પ્રધાનમંત્રીએ વિક્રમ-1 ના સફળ પ્રક્ષેપણ અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં ભારતીય વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી. તેમણે રમતગમતમાં ભારતીય રમતવીરોની સિદ્ધિઓને દેશ માટે પ્રેરણાદાયક ગણાવી. તેમણે કેરળમાં સંસ્કૃત શિક્ષણને ફૂટબોલ સાથે જોડવાની અનોખી પહેલનો ઉલ્લેખ કર્યો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે અને વૈશ્વિક સંરક્ષણ ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. તેમણે 'કેચ ધ રેઈન' અભિયાનમાં વધતી જતી જનભાગીદારીની પણ પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના સ્વ-સહાય જૂથની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ હર્બલ ચા આત્મનિર્ભરતાનું પ્રતીક બની રહી છે. તેમણે પ્રકૃતિના સંરક્ષણ અને જૈવવિવિધતાના રક્ષણ માટે દેશભરના લોકોની સામૂહિક ભાગીદારી અને પ્રેરણાદાયી પ્રયાસોની પણ પ્રશંસા કરી.
