મિઝોરમની ખાણમાં સર્જાયેલ દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
Live TV
-
કાટમાળમાંથી 12 શ્રમિકોમાંથી આઠ શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે.
મિઝોરમના હનથિયાલ જિલ્લામાં મૌદઢ ગામમાં પત્થરની ખાણના કાટમાળમાં ફસાયેલા શ્રમિકોની શોધ કરવામાં આવી રહી છે. કાટમાળમાંથી 12 શ્રમિકોમાંથી આઠ શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે પુષ્ટી કરી છે કે, આ આઠ મૃતદેહમાંથી છ મૃતદેહ પશ્ચિમ બંગાળમાંથી આવેલા મજૂરોના છે. એક મૃતદેહ આસામ અને એક મૃતદેહ મિઝોરમના લુંગલેઈના શ્રમિકનો છે. આ દુર્ઘટના સોમવારે બપોરે થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ શ્રમિકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને રૂ.50,000ની સહાય આપવામાં આવશે.