મુંબઈમાં કોરનાનાં કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 10થી વધુ, આરોગ્ય વિભાગ સતર્ક
Live TV
-
મહારાષ્ટ્રમાં કોવિડે એન્ટ્રી મારી દીધી છે. મંગળવારે રાજ્યની રાજધાની મુંબઈમાં જ કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 15 હોવાનું નોંધાયું હતું. આરોગ્ય વિભાગે 20 મેના રોજ આ માહિતી આપી હતી અને લોકોને કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાવવું નહીં તેવી અપીલ કરી હતી.
હાલ મહારાષ્ટ્રમાં કોવિડ માટે ILI (ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી) અને SARI (ગંભીર તીવ્ર શ્વસન ચેપ) અંગે એક સર્વે ચાલી રહ્યો છે. ટેસ્ટમાં પોઝિટિવ આવેલા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં કેસ ખૂબ ખતરનાક નથી, દર્દીઓમાં લક્ષણો ખૂબ જ સામાન્ય અથવા હળવા છે.
આ સાથે, જનતાને ડરવું નહીં તેવી અપીલ કરવામાં આવી છે. જો કોઈ લક્ષણો દેખાય, તો તાત્કાલિક જાહેર આરોગ્ય વિભાગથકી કોવિડ ટેસ્ટ કરાવો સારવારની સુવિધાઓ ઉપલબ્ધ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોરોનાવાયરસ માટે 6,066 સ્વેબ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી 106 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમાંથી 101 મુંબઈના અને બાકીના 1 પુણે, 1 થાણે અને 3 કોલ્હાપુરના હતા. મુંબઈમાં કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 101 હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં હળવા લક્ષણોને કારણે 52 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 16 દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.
તે જ સમયે, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોવિડ-19ને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 2 રહી છે. બંને સહ-રોગી કેસ હતા. એક દર્દીને હાઈપોકેલ્સેમિયાના હુમલા સાથે નેફ્રોટિક સિન્ડ્રોમ હતો અને બીજાને કેન્સર હતું. માર્ગદર્શિકાનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે અને દર્દીઓને 7 દિવસ પછી રજા આપવામાં આવે છે. માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યો અને કેટલાક અન્ય દેશોમાં પણ દર્દીઓની સંખ્યામાં છૂટાછવાયા વધારો જોવા મળી રહ્યો છે.
