રાજસ્થાનની કરણપુર વિધાનસભા બેઠક પર 5 જાન્યુઆરીએ મતદાન
Live TV
-
રાજ્યની 200 માંથી 199 વિધાનસભા બેઠકો માટે 25 નવેમ્બરે મતદાન થયું હતું અને 3 ડિસેમ્બરે મતોની ગણતરી કરવામાં આવી હતી.
કેન્દ્રીય ચૂંટણી પંચે રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાના કરણપુર વિધાનસભા મતવિસ્તાર માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. આ બેઠક પર 05 જાન્યુઆરીએ મતદાન થશે અને 10 જાન્યુઆરીએ મતગણતરી થશે. આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થતાં ચૂંટણી કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કરણપુર સીટ માટે નોમિનેશન પ્રક્રિયા 12 ડિસેમ્બરથી શરૂ થશે. 19 ડિસેમ્બર નામાંકન માટેની છેલ્લી તારીખ છે. 20મીએ સ્ક્રુટિની થશે અને 22મી ડિસેમ્બર સુધી નામો પરત ખેંચી શકાશે. 5 જાન્યુઆરીએ મતદાન થશે અને 10 જાન્યુઆરીએ મતગણતરી થશે.
કોંગ્રેસના ઉમેદવાર ગુરમીત સિંહ કુન્નરના અવસાન બાદ આ બેઠક પર ચૂંટણી રદ કરવામાં આવી હતી. રાજ્યની 200 માંથી 199 વિધાનસભા બેઠકો માટે 25 નવેમ્બરે મતદાન થયું હતું અને 3 ડિસેમ્બરે મતોની ગણતરી કરવામાં આવી હતી.
