રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ વિવિધ શાળા અને સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રપતિભવનમાં મુલાકાત કરી
Live TV
-
આજે 14 નવેમ્બર એટલે કે ચિલ્ડ્રન-ડે છે. ભારતમાં બાળ દિવસના રૂપમાં તેની ઉજવણી થઇ રહી છે. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂની જન્મ જયંતિ પ્રસંગે દર વર્ષે 14 નવેમ્બરે આ દિવસની ઉજવણી થાય છે. 1957ની સાલથી આ દિવસની ઉજવણી બાલદિન તરીકે થાય છે. જવાહરલાલ નહેરૂ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી હતા. કહેવાય છે કે પંડિતજી બાળકોને ખૂબ પ્રેમ કરતા, આથી બાળદિવસ ઉજવવા માટે એમના જન્મદિવસ પસંદ કરવામાં આવ્યો.
બાળ દિવસના સંદર્ભમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ વિવિધ શાળા અને સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રપતિભવનમાં મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,'બાળ દિવસ ભારતના ભાવિને સમર્પિત છે. બાળપણ જીવનનો ખુબ જ સુંદર દોર હોય છે. દરેક નવી પેઢી નવી સંભાવના અને સપના લઇને આવતી હોય છે. બાળકો પાસેથી પણ ઘણું બધું શીખી શકીએ.'