રેલવે મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, પ્લેટફોર્મ ટીકીટની કિંમતમાં કરાયેલો વધારો થોડા સમય માટેનો જ છે
Live TV
-
રેલવે મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, પ્લેટફોર્મ ટીકીટની કિંમતમાં કરાયેલો વધારો થોડા સમય માટેનો જ છે અને સ્ટેશનો ઉપર વધુ પડતાં લોકો એકઠા ન થાય તે હેતુથી લોકોનાં હિતમાં આ નિર્ણય લેવાયો છે. મંત્રાલયે જણાવ્યું છે કે, સમયાંતરે વાસ્તવિક પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ પ્લેટફોર્મ ટીકીટની કિંમત અંગે નિર્ણય લેવાયો છે. યાદીમાં વધુમાં જણાવ્યું છે કે, કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સ્ટેશનો ઉપર વધુ લોકો એકઠા ન થાય તે માટે નિયંત્રણો જરૂરી બન્યા છે.
