લોકસભામાં સતત હંગામાને પગલે કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત
Live TV
-
આજે લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા થવાની હતી. પરંતુ લોકસભામાં ચર્ચાની શરુઆત થતા જ વિપક્ષોએ નીટ મુદ્દે ચર્ચાની માંગ કરી હંગામો મચાવ્યો હતો. શરુઆતમાં હોબાળાને પગલે લોકસભા પહેલા 12 વાગ્યા સુધી અને ત્યાર બાદ સોમવારે 11 વાગ્યા સુધી સ્થગિત રાખવામાં આવી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, તમામ વિપક્ષોએ નીટ વિષય પર વિદ્યાર્થીઓના હિતમાં ચર્ચા માટે સહમતિ દર્શાવી હતી.
જેથી ગૃહમાં આ મુદ્દે ચર્ચા જરુરી છે. તો કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે વિપક્ષને ચર્ચાને બદલે હંગામો કરવામાં રસ હોવાનો આરોપ લગાવ્યો હતો.
