વિદેશમંત્રી એસ. જયશંકરે અન્ય દેશોમાંથી કામગીરી કરતાં અલગતાવાદી ખાલિસ્તાનીઓને કડક ચેતવણી આપી
Live TV
-
વિદેશમંત્રી એસ. જયશંકરે અન્ય દેશોમાંથી કામગીરી કરતાં અલગતાવાદી ખાલિસ્તાનીઓને કડક ચેતવણી આપી છે. ગઇકાલે કર્ણાટકના ધારવાડમાં મહત્વના નાગરીકો સાથે સંવાદ કરતા તેમણે કહ્યું કે, ભારત પોતાના રાષ્ટ્રધ્વજનું અપમાન સાંખી લેશે નહીં.
તેમણે અલગતાવાદી ખાલીસ્તાની ચળવળ ચલાવતા લોકોને ભારતના પાડોશી દેશોના હિતમાં મદદરૂપ થનાર નાના જૂથ તરીકે ઓળખાવ્યું હતું. જયશંકરે કહ્યું કે, વિદેશમાં આવેલા ભારતના રાજદૂતાવાસોને રક્ષણ આપવું એ જે તે દેશની ફરજ છે.
