વિશ્વને ભારતના વસુધૈવ કુટુંબકમમાં સંપૂર્ણ વિશ્વાસ છે : વિદેશમંત્રી
Live TV
-
ભારતનો વસુધૈવ કુટુંબકમ ખ્યાલ વિશ્વ માટે માત્ર એક સૂત્ર નથી, પરંતુ તે દેશના વર્તનની સમજ આપે છે
વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે જણાવ્યું છે કે બીજા દેશોની જેમ જ ભારત શાંતિની તરફેણ કરે છે. આજે નવી દિલ્હીમાં ભારતની G-20ની અધ્યક્ષતા અને તેના વૈશ્વિક પ્રભાવ પરના એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, યુક્રેન અને રશિયા સંઘર્ષના લીધે ખાતર, અનાજ અને ખનીજ તેલની કિંમતોમાં વધારો થયો છે.
G-20ની અધ્યક્ષતામાં ભારતે ઘણી નવી પહેલો કરી છે. તેમણે કહયું કે ભારતે લોકશાહીના મૂલ્યો ઉપર ભાર મૂકીને લોકશાહી બાબતે પોતાની ક્ષમતા પુરવાર કરી છે, અને તેથી જ સમગ્ર વિશ્વ સમુદાય ભારત પાસે ઘણી અપેક્ષા રાખી રહ્યો છે.
જયશંકરે કહ્યું છે કે વિશ્વને ભારતના વસુધૈવ કુટુંબકમમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે કહ્યું કે ભારતનો આ ખ્યાલ વિશ્વ માટે માત્ર એક સૂત્ર નથી, પરંતુ તે દેશના વર્તનની સમજ આપે છે.
