વીવીપેટ તથા ઈવીએમ મુદ્દે ફરી એક વખત આરોપ-પ્રત્યારોપ
Live TV
-
અભિષેક મનુ સંઘવીએ જણાવ્યું હતું કે, આ મુદ્દે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પણ જશે.
વીવીપેટ તથા ઈવીએમ મુદ્દે ફરી એક વખત આરોપ-પ્રત્યારોપ શરૂ થયો છે. ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં એક સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે, વીવીપેટની 50 ટકા ચબરખીઓની ગણતરી કરવી જોઈએ. કોંગ્રેસ નેતા અભિષેક અનુ સિંઘવીએ કહ્યું હતું કે, વિભિન્ન દળોએ એકઠા મળીને ચૂંટણી પંચને એક લાંબી યાદી સોંપી છે. તેમણે કહ્યું હતું કે, ઓછામાં ઓછા 50 ટકા ચિઠ્ઠીઓની સરખામણી તથા ચકાસણી થવી જોઈએ. અભિષેક મનુ સંઘવીએ જણાવ્યું હતું કે, આ મુદ્દે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પણ જશે.
જોકે આ મુદ્દે ભાજપા પ્રવક્તા જી.વી.એલ. નરસિંહાએ કહ્યું હતું કે, વિપક્ષી દળો પરાજીત થવાના ડરથી દોષનો ટોપલો વીવીપેટ તથા ચૂંટણી પંચ પર ઢોળે છે.
