Skip to main content
Settings Settings for Dark

સરદાર પટેલની ૭૫મી પુણ્યતિથિએ પીએમ મોદીએ લોખંડી પુરુષને યાદ કર્યા

Live TV

X
  •  રાષ્ટ્રીય એકતાના પ્રતીક અને લોહપુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની આજે ૭૫મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તથા અન્ય ભાજપ નેતાઓએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના યોગદાનને યાદ કર્યું.

     રાષ્ટ્રીય એકતાના પ્રતીક અને લોહપુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની આજે ૭૫મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તથા અન્ય ભાજપ નેતાઓએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના યોગદાનને યાદ કર્યું.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું, "લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની ૭૫મી પુણ્યતિથિ પર સાદર નમન. તેમણે દેશને એકસૂત્રમાં પરોવવા પોતાનું જીવન સમર્પિત કરી દીધું. અખંડ અને સશક્ત ભારતના નિર્માણમાં તેમનું અતુલનીય યોગદાન કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકે નહીં.

    "કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, "રાષ્ટ્રીય એકતાના પ્રતીક, મજબૂત ભારતના શિલ્પકાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર નમન. સરદાર સાહેબે વિભાજિત ભારતને પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે એકીકૃત કરી મજબૂત રાષ્ટ્રનું સ્વરૂપ આપ્યું. દેશના પ્રથમ ગૃહમંત્રી તરીકે માતૃભૂમિની સુરક્ષા અને આંતરિક શાંતિને જ તેમણે જીવનનો ધ્યેય બનાવ્યો. સહકારી ચળવળને નવું જીવન આપીને મહિલાઓ અને ખેડૂતોના સ્વાવલંબનથી આત્મનિર્ભર ભારતનો પાયો નાખનાર સરદાર સાહેબ રાષ્ટ્રપ્રથમના માર્ગે અમને માર્ગદર્શન આપતા રહેશે

    ."લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લખ્યું, "ભારતની રાષ્ટ્રીય એકતાના સૂત્રધાર, એકીકૃત ભારતના શિલ્પકાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ પર સાદર નમન. સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તરીકે તેમણે અદમ્ય ઇચ્છાશક્તિ અને નેતૃત્વથી રાષ્ટ્રની અખંડતા સુનિશ્ચિત કરી. ૫૫૦થી વધુ રિયાસતોના ભારતમાં વિલયથી સશક્ત ભારતનો પાયો નાખ્યો. તેમનું જીવન રાષ્ટ્રસેવા અને કર્તવ્યનિષ્ઠાનો આદર્શ છે.

    "ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખ્યું, "ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ભારતની એકતા અને અખંડતાના શિલ્પી, લોહપુરુષ 'ભારત રત્ન' સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ! દેશની આંતરિક સુરક્ષા, સ્વદેશી અને ખેડૂતોના સ્વાવલંબન સાથે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત, સુરક્ષિત ભારત'ના નિર્માણ માટે તેમનું યોગદાન પ્રેરણાદાયી છે."ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલે સ્વતંત્ર ભારતને એકીકૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply