સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તેમના નિવેદન ના બદલે ફરીથી વિવાદ માં
Live TV
-
મહાત્મા ગાંધીજી ના હત્યારા નાથુરામ ગોડસે ને દેશ ભક્ત ગણાવ્યા
ભોપાલ થી ભાજપા ના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તેમના નિવેદન ના બદલે ફરી થી વિવાદ માં આવતા ,ભાજપા એ તેમને માફી માંગવા જણાવ્યું હતું. સાધ્વી પ્રજ્ઞાએ પોતાના સંબોધન માં મહાત્મા ગાંધીજી ના હત્યારા નાથુરામ ગોડસે ને દેશ ભક્ત ગણાવવા ના નિવેદન ના પગલે વિવાદ થયો હતો. આ નિવેદન બાબતે ભાજપા ના પ્રવક્તા ,G.V.L.નરસિમ્હાએ જણાવ્યું હતું કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ના નિવેદન સાથે બી.જે.પી. સંમત નથી. અને આ નિવેદન ની આકરી ટીકા કરે છે. ભાજપા એ સાધ્વી ને સાર્વજનિક સ્વરૂપે માફી માંગવા તેમજ પોતાનું નિવેદન પરત લેવા માટે જણાવ્યું હતું.
