હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં વાવાઝોડાની કરી આગાહી
Live TV
-
ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાના કારણે સૌથી વધુ ખુવારી આગ્રામાં થઈ હતી.
હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, પૂર્વી રાજસ્થાન, પશ્ચિમી રાજસ્થાન અને જમ્મુ - કાશ્મીરમાં આગામી દિવસોમાં ધૂળભર્યું વાવાઝોડું અને તોફાનની ચેતવણી જાહેર કરી છે.
બે દિવસ પહેલા ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં ભયંકર વાવાઝોડું આવ્યું હતું. જેમાં કુલ 125 લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાના કારણે સૌથી વધુ ખુવારી આગ્રામાં થઈ હતી.
જો કે વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકો માટે વડાપ્રધાને સહાયની જાહેરાત કરી છે અને તેમણે વહીવટી અધિકારીઓને પણ મદદ કરવા આહ્લાહન કર્યું છે. વાવાઝોડાથી પ્રભાવિત થનાર લોકોને PM મોદીએ 'પ્રધાનમંત્રી આપત્તિ રાહત ભંડોળમાંથી રૂપિયા બે લાખની આર્થિક મદદની જાહેરાત કરી છે.
