18 ડિસેમ્બરે પ્રધાનમંત્રી શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો કરશે શિલાન્યાસ
Live TV
-
36,200 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર આ યૂપીનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 ડિસેમ્બરના રોજ બપોરે લગભગ 1 વાગ્યે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે.આ એક્સપ્રેસ-વેથી સમગ્ર દેશમાં ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવાનું પ્રધાનમંત્રીનું વિઝન છે. 594 કિલોમીટર લાંબો 6 લેનનો એક્સપ્રેસ વે રૂ. 36,200 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવશે. મેરઠના બિજૌલી ગામની નજીકથી શરૂ થઈને, એક્સપ્રેસ વે પ્રયાગરાજના જુડાપુર દાંડુ ગામ સુધી લંબાશે. તે મેરઠ, હાપુડ, બુલંદશહર, અમરોહા, સંભલ, બુદૌન, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજમાંથી પસાર થશે. આ એક્સપ્રેસ-વેનું કામ પૂર્ણ થયા પછી, તે ઉત્તર પ્રદેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનશે, જે રાજ્યના પશ્ચિમ અને પૂર્વીય વિસ્તારોને જોડશે. શાહજહાંપુરમાં એક્સપ્રેસ વે પર એરફોર્સના વિમાનોના ઇમરજન્સી ટેકઓફ અને લેન્ડિંગમાં મદદ કરવા માટે 3.5 કિમી લાંબી એર સ્ટ્રીપ પણ બનાવવામાં આવશે. એક્સપ્રેસ-વેની સાથે ઔદ્યોગિક કોરિડોર પણ બાંધવાની દરખાસ્ત છે. આ એક્સપ્રેસ-વે ઔદ્યોગિક વિકાસ, વેપાર, કૃષિ, પ્રવાસન વગેરે સહિતના અનેક ક્ષેત્રોને પણ વેગ આપશે. પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસને પણ મોટું પ્રોત્સાહન આપશે.
