Skip to main content
Settings Settings for Dark

5,800 થી વધુ અમરનાથ યાત્રીઓ કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી કાશ્મીર જવા રવાના થયા

Live TV

X
  • CRPF જવાનોની કડક સુરક્ષા હેઠળ 218 વાહનોમાં 5,803 શ્રદ્ધાળુઓની 11મી બેચ સવારે 3 વાગ્યે બાલતાલ અને પાલગામના બેઝ કેમ્પ માટે રવાના થઈ

    ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3,880 મીટર ઉંચી અમરનાથ ગુફા મંદિરના જોડિયા બેઝ કેમ્પ માટે સોમવારે 5,800 થી વધુ શ્રદ્ધાળુઓ જમ્મુથી રવાના થયા હતા. અમરનાથ ગુફા મંદિરની મુલાકાતે જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા બે લાખને વટાવી ગઈ છે.

    અધિકારીઓના જણાવ્યા અનુસાર, CRPF જવાનોની કડક સુરક્ષા હેઠળ 218 વાહનોમાં 5,803 શ્રદ્ધાળુઓની 11મી બેચ સવારે 3 વાગ્યે બાલતાલ અને પાલગામના બેઝ કેમ્પ માટે રવાના થઈ હતી.
     
    તેમણે કહ્યું કે, 3,941 તીર્થયાત્રીઓએ તેમની યાત્રા માટે 48 કિમી લાંબા પરંપરાગત પહેલગામ રૂટનો ઉપયોગ કર્યો હતો જ્યારે બાકીના 14 કિમી લાંબા ટૂંકા પરંતુ સીધા બાલટાલ રૂટનો ઉપયોગ કર્યો હતો.આ સાથે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા 28 જૂને પ્રથમ બેચને ફ્લેગ ઓફ કરવામાં આવી ત્યારથી કુલ 62,265 શ્રદ્ધાળુઓ જમ્મુ બેઝ કેમ્પથી ખીણ માટે રવાના થયા છે.

    52 દિવસની આ યાત્રા 29 જૂને કાશ્મીરના બે બેઝ કેમ્પથી ઔપચારિક રીતે શરૂ થઈ હતી. જે 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. ગયા વર્ષે 4.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ગુફા મંદિરમાં દર્શન કર્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply